welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Sunday 23 September 2012

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ ટાંકણાની યાદો.

પ્રવાસ : કાર્લા ગુફાઓ. મુંબઈ પુના નજીક. 

લોનાવાલાથી થોડેક છેટે. બૌદ્ધ ગુફાઓ. ૨૦૦૦ વરસ જુની શીલ્પ 
ટાંકણાની યાદો.

શનીવાર ૮ સપ્ટેમ્બર અને રવીવાર ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ના મીત્રો 
સાથે લોનાવાલા, 
ડેલ્લા એડવેન્ચર્સથી આગળ, ઠાક્રરવાડીથી આગળ, રાજમાચી કીલ્લા,અપસરા ધોધ, વગેરે જોવા ગયેલ. એનું વર્ણન ફેસબુક ઉપર મુકવા મીત્રોને જણાવેલ. 

ફોટાઓ મેં ઘણાં ખેચેલ.  જેમાંથી ૩,૪ ફોટાઓ અહીં મુકેલ છે.


(આજે રવીવાર છે. નીશાળ બંધ છે. બે બાળકો નીશાળે આવ્યા છે)



(રાજમાચી જવા મીત્રો જઈ રહ્યા છે)




(રાજમાચી તો દુર છે. પણ અપસરા ધોધનો પહાડ દેખાય છે)



(પહાડ ઉપરથી પાણી પડે છે. આ પહાડ એક જ પત્થરનો બનેલ છે)


(મીત્રો ધોધમાં મજા માણે છે)



(મીત્રો ધોધમાં મજા માણે છે અને આ બાળક પણ ખુશ દેખાય છે)



લોનાવાલા પાસે કાર્લા, ભાજા, લોહગઢ, વગેરેનો અદ્દભુત જુના 
જમાનાનો વારસો છે.

કાર્લા ગુફાની અગાઉ ૩ વખત મુલાકાત લીધેલ છે અને કેમેરા વગર શનીવાર ૨૩.૯.૨૦૧૨ના કાર્લા મુલાકાત લીધેલ.

મુંબઈ થી પનવેલ લોકલ ટ્રેનમાં ગયો. પનવેલથી રાજ્ય પરીવહનની ઘણીં બસો પનવેલ, ખાપોલી, ખંડાલા  થઈ લોનાવાલા જાય છે.

એમાંથી જે બસમાં આરામથી જવાની સગવડ થઈ એ બસમાં ગયો. 
મુંબઈથી લોકલ ટ્રેન ખોપોલી સુધી નીયમીત જાય છે.

ખોપોલી રેલ્વે સ્ટેશનથી થોડેક છેટે બસ સ્ટેન્ડ પાસેથી રીક્ષા, ટેક્ષી કે બસથી ભોરઘાટ મુંબઈ પુના એક્ક્ષપ્રેસ હાઈવે માર્ગેથી ખંડાલા થઈ લોનાવાલા જઈ સકાય છે.

લોનાવાલાથી કાર્લા જવા બસ સગવડ છે અને શેરે રીક્ષાથી બસથી 
સસ્તામાં ઝડપી દસ રુપીયામાં કાર્લા પહોંચી જવાય છે  જે લોનાવાલા પુના હાઈવે ઉપર ઉતારે છે.

૨૦-૩૦ મીનીટ છેટે બે કીલોમીટર લાંબે પહાડ ઉપર કાર્લા ગુફાઓ આવેલ છે. ૨૦-૩૦ મીનીટ સુધી પગથીયા ઉપર ચડી ગુફાઓ પાસે પહોંચી જવાય છે. 

મહારાસ્ટ્રના કોળી, માછીમારોની કુળ દેવી એકવીરાનું મંદીર પણ આવેલ છે અને 
એકવીરા મંદીરના સ્થાન તરીકે આ વીસ્તાર જાણીતું છે. 

કોને ખબર કોણે બૌદ્ધ ગુફાને પોતાની જાગીર બનાવી મંદીર બનાવી નાખ્યું છે અને વેપાર ચાલે છે.

૨૦૦૦ વરસ અગાઉ બૌદ્ધ સાધુઓ માટેનું ચૈત્ય કે મંદીર અને રહેવાની આ જગ્યા પહાડને કોતરી બનાવવામાં  આવેલ છે. આટલી ઉંચાઈ ઉપર ખુબ વીશાળ ચૈત્ય જોવા દેશ વીદેશના લોકો નીયમીત આવે છે. ઘણી જગ્યાએ બ્રાહી લીપીમાં લખાંણ છે અને પહાડના પત્થરને ટાંકણાથી કોતરી અદ્દભુત કામ બૌદ્ધ સાધુઓએ કરેલ છે. 




(ગુફામાં લાઈનબંધ જ પત્થરના થાંભલા છે અને 
ઉપર લાકડાની કમાનો ૨૦૦૦ વરસથી અકબંધ એમને એમ જ છે)

(પુરાતત્ત્વ વિભાગ અને વીકીપીડીયાના સૌજન્યથી બે ફોટા મુકેલ છે)


૨૦૦૦ વરસ અગાઉ જ્યાં લાકડું વાપરેલ છે એ પણ જોઈ સકાય છે.
ગુગલ મહારાજની મદદથી બે ફોટાઓ મુકેલ છે.

2 comments:

  1. પહાડના પત્થરને ટાંકણાથી કોતરી બૌદ્ધ સાધુઓએ ખુબ જ અદ્દભુત કામ કરેલ છે !!!

    ReplyDelete
  2. ગુફામાં લાઈનબંધ એજ પત્થરના થાંભલા છે અને ઉપર લાકડાની કમાનો ૨૦૦૦ વરસથી અકબંધ એમને એમ જ છે.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર