welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 31 January 2013

ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.

ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.

મીત્રો, આ બ્લોગ ઉપર ફેરફાર કરી મફતમાં માહીતી અને દેશ વીદેશના સમાચારો માટે છાપાઓની યાદી આપેલ છે. જેમાં હીન્દી દૈનીક ભાસ્કર, જાગરણ, નવ ભારત ટાઈમ્સ, બીબીસી હીન્દી, ગુજરાતીમાં દીવ્ય ભાસ્કર અને મુંબઈ સમાચાર અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ, ઈન્ડીઅન એક્સપ્રેસ, ડીએનએ, ન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગટન પોસ્ટ, કચ્છમીત્ર, મરાઠીમાં લોકમત્ત, લોકસત્તા વગેરે છાપાઓની લીન્ક આપેલ છે. રાજકરણ, આંતકવાદ, બજાર, વીજ્ઞાન, મરણખબર વગેરે વગેરે સમાચારો આ છાપાઓમાં આવે છે.

કચ્છના નાના ગામડામાં ચોથી પાંચમીમાં અભ્યાસ વખતે ૧૯૫૬ આસપાસ બજાર શું એ આછી પાતડી માહીતી કંઈક નીચે પ્રમાણે હતી. મારા ગામની બાજુમાં ડુમરા નામનું ગામ હતું અને નાના મોટા એટલે કે જોડા સીલાઈ, હજામત અને રેશનીંગની દુકાન જેવા કામ માટે ડુમરા જવું પડે. એ ડુમરા ગામના ચોકમાં ટમેટા, રીંગણા શાકભાજી માટે મળતા અને જ્યારે કોઈ નદીના પટમાં મોટા ટમેટાનો મોટો ફાલ થઈ જાય તો ટમેટા વેચનારી બાઈ કચ્છી બોલીમાં મોટેથી કહેતી......" ડુમરેમેં ટમેટેજી બજાર છ્યણી પ્યઈ. ગ્યનો ટમેટા....". એટલે કે બજારમાં ટમેટા ખુબ સસ્તા ભાવે મળે છે અને ટમેટાની બજાર નીચે ઉતરી આવી ગઈ છે. મુંબઈની શેર બજારનું જીજીભોય ટાવર એના પછી બન્યું.

પછીતો જાતજાત અને ભાતભાતની બજારો આવવા લાગી.

મુંબઈમાં ગેરકાનુની કાર્યવાહી માટે સોપારી બજાર આવ્યું અને મરાઠી છાપામાં ગેરકાનુની કારવાઈ માટે પણ ભાવ આવતા. જેમકે છુરીથી હુમલો કરવું, ખુન કરવું, અપહરણ કરવું, વગેરે. મુંબઈમાં બોમ્બ ધડાકા થયા તો ટેક્ષી કે ટ્રકના ડ્રાઈવરોને શું મળતું એના પણ ભાવ આવતા.

આજના હીન્દી, અંગ્રેજી, ગુજરાતી છાપામાં સમાચાર આવ્યા છે કે કાશ્મીરની અંકુશ રેખા પર શહીદ હેમરાજનું માથું કાપી લાવનારને તોઈબાએ પાંચ લાખ આપ્યા છે અને સુરંગ પાથરવાના, સૈનીકને ગોળી મારવાના ભાવ પણ આપેલ છે.

અંગ્રીજી, હીન્દીના છાપાઓના સમાચારમાં નીચે ઘણાં લોકો કોમેન્ટ પણ લખે છે કે સરહદની અંદર આવનાર જે કાર્યવાહી કરતો હતો ત્યારે આપણે શું કુમ્ભના મેળામાં સ્નાન કરતા હતા?

રીપોર્ટ બનાવવો, કોમેન્ટ લખવી, અહેવાલ આપવો એ હવે વ્યવસ્થીત શીખડાવવામાં આવે છે. મુંબઈમાં રેલ્વેની શરુઆત થઈ એ વખતે થડગાટ અને ભોરગાટ જે મુંબઈથી પુના નાસીક જવા થડગાટ કે ભોરગાટ પસાર કરવો પડે છે એના ઉપર અંગ્રેજ ઈજનેરોએ રીપોર્ટ બનાવેલ છે. અમેરીકાની હારવર્ડ કે એવી જ કોઈક મોટી વીદ્યાપીઠની લાયબ્રેરીમાં આવા ટાઈપ કરેલ કે પ્રીન્ટ કરેલ રીપોર્ટ જોવા મળે છે.

અનુક્રમણીકા, ફકરા વગેરે જેવું કાંઈજ નહીં અને સીધું પહેલીથી છેલ્લે સુધી લખાંણ. અને છતાં માહીતી વાંચીએ તો ખબર પડે શું મહેનત કરી રીપોર્ટ બનાવેલ છે.

મેં આવા રીપોર્ટ કે અહેવાલ કેમ આપવા એ બાબત આછી પાતળી માહીતી અલગ અલગ પોસ્ટમાં ક્યાંક મુકેલ છે. દેશમાં કંઈક ઘટના બને અને કમીશન કે કમીટી બનાવી અહેવાલ અને અમલ માટે કારવાઈ થાય. દાખલા તરીકે કોઠારી કમીશનનો શીક્ષણ બાબતનો અહેવાલ, ન્યાયાધીશ અને મુંબઈ વીદ્યાપીઠના ચાન્સેલર ગજેન્દ્રગડકરનો લેબર કમીશન અહેવાલ અને दिल्ली में सामूहिक दुष्कर्म की घटना के बाद ऐसे आरोपों के लिए सख्त कानून का खाका तैयार करने के लिए बनी जस्टिस जेएस वर्मा समिति की रिपोर्ट पर जल्दी अमल का आश्वासन खुद प्रधानमंत्री ने आगे आकर दिया है।

મેં તો મુલાકાતીઓ અને વાંચનારાઓને કોમેન્ટ લખવા લેબલ વાળી લીન્ક બનાવી મુકેલ છે.

ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.

રીપોર્ટ બનાવવા માટે નીચે બે લીન્ક આપેલ છે.

http://www.vkvora2001.blogspot.in/2013/01/blog-post.html

http://www.learningdevelopment.plymouth.ac.uk/LDstudyguides%5Cpdf/7Reports.pdf

पाकिस्तानी सैनिकों के सिर काटने का भारत ने किया खंडन

High corruption risk in defence purchases by India: Study

वैज्ञानिकों ने किया चने का जीनोम कोड ब्रेक


આભાર...૧૮૯૫૦. શુક્રવાર       ૨૭.૦૯.૨૦૧૩ ૦૦:૩૧:૦૦
આભાર...૧૯૩૧૫. શનિવાર      ૦૫.૧૦.૨૦૧૩ ૧૩:૨૫:૦૦
આભાર...૨૦૪૩૮. મંગળવાર     ૦૫.૧૧.૨૦૧૩ ૧૦:૧૯:૦૦
આભાર...૨૦૮૧૧. બુધવાર        ૧૩.૧૧.૨૦૧૩  ૨૦:૪૨:૦૦
આભાર...૨૧૪૩૦  સોમવાર      ૦૯.૧૨.૨૦૧૩  ૧૩:૪૯:૦૦
આભાર...૨૨૦૨૪  શનીવાર     ૦૪.૦૧.૨૦૧૪  ૧૨:૦૧:૦૦
આભાર...૨૨૫૬૭  શુક્રવાર     ૨૪.૦૧.૨૦૧૪  ૧૪:૦૫:૦૦
આભાર...૪૮૧૭૩  શનીવાર    ૧૭.૦૧.૨૦૧૫  ૧૩:૦૦:૦૦
આભાર...88575 Monday  13.02.2017  12:00:00
આભાર...1,13,597  THU.,   6th    Sept., 2018.  08:00:00.
આભાર...1,15,231  SUN.,   4th    Nov.,  2018.  09:00:00.
આભાર...1,35,600  SAT.,  28th    Dec.,  2019.  14:49:00.
આભાર...1,51,759  WED., 22nd., April   2020.  15:06:00.
આભાર...1,91,749 Fri., 12th Feb., 2021. 14:25:00.







Monday 28 January 2013

ઈશ્ર્વરવાદી આસ્તીક અને ઈશ્ર્વર વીરોધી નાસ્તીક : નાસ્તીક શબ્દમાં ક્રાન્તી થઈ અને અર્થચક્ર બદલતાં એની મહત્વતા વધી.


શરુઆતમાં પુનર્જન્મ, કર્મ, લોક, પરલોકમાં માનનાર આસ્તીક
અને
કર્મ કે પુનર્જન્મ ન માનનાર નાસ્તીક કહેવાય એ સીવાય આસ્તીક અને નાસ્તીકનો કાંઈ અર્થ ન હતો.

વખત જતાં ઈશ્ર્વરનો જન્મ થયો જે જગતનો કર્તા પણ બની ગયો. એ વખતે પણ કર્મ પુનર્જન્મમાં માનવું પણ  ઈશ્ર્વરનું સ્વતંત્ર તત્ત્વ નથી એવો પક્ષ હતો.

એટલે ઈશ્ર્વરવાદી આસ્તીક અને ઈશ્ર્વર વીરોધી નાસ્તીક બન્યા.

આમ પુનર્જન્મ, કર્મ,  ઈશ્ર્વરને માનનારા અને પુનર્જન્મ, કર્મ,  ઈશ્ર્વરને ન માનનાર આમ બે પક્ષો થયા.
સાંખ્ય, મીમાંસક, જૈન, બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ અને ઈશ્ર્વરમાં ન માનનાર આસ્તીક છતાં નાસ્તીક કહેવાયા.

ઈશ્ર્વરના જન્મ પછી શાસ્ત્રોનો જન્મ થયો અને વેદશાસ્ત્રની પ્રતીષ્ઠા રુઢ થઈ.

પછી વેદ, પુનર્જન્મ અને ઈશ્ર્વરને સ્વીકારનાર આસ્તીક.  વેદ સ્વીકારી ઈશ્ર્વર તત્ત્વમાં ન માનનારા મીમાંસક નાસ્તીક.

આ ગુંચમાંથી મુક્તી મેળવવા મનુ મહારાજે ટુંકી વ્યાખ્યા કરી કે વેદ નીંદક નાસ્તીક હોય એટલે સાંખ્ય આસ્તીક બની ગયા.

જૈન, બૌદ્ધ જે વેદને તદ્દન ન સ્વીકારનાર નાસ્તીક પક્ષમાં રહ્યા.

જૈન અને બૌદ્ધ પક્ષવાળાએ  પાછા  નવા શબ્દો શોધી  કાઢ્યા.

જૈન અને બૌદ્ધની દ્દષ્ટી સાચી અને વેદવાળા પક્ષની માન્યતા મીથ્યા એટલ ભ્રાન્ત.

પછી તો જૈન અને બૌદ્ધ પણ પોતાને સમ્યગદ્દષ્ટી અને સામે વાળા જૈન કે બૌદ્ધ મીથ્યાદ્દષ્ટી થઈ ગયા.

હકીકતમાં સ્વપક્ષ અને પરપક્ષ બે જ પક્ષ હતા.

હવે જુઓ નાગા, લુચ્ચા અને બાવા શબ્દની હાલત.

નાગો એટલે કુટુંબ, મલમત્તા અને કપડાંનો ત્યાગી આત્મશોધન માટે વ્રત ધારણ કરનાર મહાન આદર્શવાદી.

એટલે કે પરીગ્રહ ત્યાગી દેહદમનવ્રત સ્વીકારનાર નાગો.

લુચ્ચો એટલે લુંચક કે લુંચઓ થાય.

જે ત્યાગી હોય એ પોતાના મસ્તકના વાળને પોતાને હાથે ખેંચી લુંચક કે લોચ કરતો. 

આમ લુંચક, લુંચઓ કે લુચ્ચો એટલે આત્મસાધના માટે ત્યાગ કરનાર માટે સુચવનાર.

બાવા કે બપ્પા એટલે વડીલ અને સંતાનનો પુજ્ય.

ધીરે ધીરે નગ્ન શબ્દ તપ, ત્યાગ અને પુજ્યમાંથી અલગ થઈ બીનજવાબદારની શ્રેણીમાં આવી ગયો.

લુંચક શબ્દે પણ પવીત્ર સ્થાન ગુમાવ્યું અને બાવો તો બાળકોને ભડકાવનારના અર્થમાં વપરાવા લાગ્યો.

પછી તો જૈન અને બૌદ્ધમાં જેટલા ભાગલા પડ્યા એટલા નવા નવા શબ્દો દાખલ થયા.

નાગો, લુચ્ચો, બાવો, વગેરે ગાળ રુપે તીરસ્કાર સુચક બની ગયા.

મહર્ષી  દયાનંદ અને મહાત્મા ગાંધી માટે પણ કાશી ગયાના સ્વામીજીઓએ નાસ્તીક કહી નાખ્યા આમ નાસ્તીકની પ્રતીષ્ઠા વધતી ગઈ.

હવે નવી ગુંચ ઉત્પન્ન થઈ.

જેમ જેમ લોકો વીચારતા થયા તેમ તેમ રાજમાન્ય, લોક માન્ય શબ્દોની પ્રતીષ્ઠા વધતી ગઈ અને   સમાજે માથુ ઉચક્યું કે સમાજ ઉઠયો કે રાજમાન્ય માટે સમાજદ્રોહ અને દેશદ્રોહ શબ્દ વપરાવા લાગ્યો.

આમ રાજાઓના જમાનામાં રાજદ્રોહીનું ધડથી માથુ અલગ કરવાને બદલે લાખો નાગરીકો એમનું સન્માન કરવા લાગ્યા.

હકીકતમાં આખી દુનીયામાં સંત મહાત્મા રાજદ્રોહી જ હોવા જોઈએ.

આમ નાસ્તીક શબ્દમાં ક્રાન્તી થઈ અને અર્થચક્ર બદલતાં એની મહત્વતા વધી.

આધુનીક જમાનામાં સાચી કે ખોટ ગમે તેવી જુની રુઢીઓને વળગી રહે, ઉચીત કે અનુચીતનો વીચાર ન કરે, વસ્તુની પરીક્ષા અગર  તર્ક કે કસોટી સહન ન કરે, સાચું કે ખોટું તપાસ્યા વગર નવા વીચાર, નવી શોધ, નવી પદ્ધતીથી ભડકે તે આસ્તીક કે સમ્યગદ્દષ્ટી.

આ રીતે વીચારક, પરીક્ષક, તર્ક પ્રધાન અર્થમાં નાસ્તીક શબ્દની પ્રતીષ્ઠા જામતી જાય છે. કદાગ્રહી, ઝનુની અર્થમાં આર્થીક આસ્તીક શબ્દની દુર્દશા થતી દેખાય છે.

(દર્શન અને ચીંતન ભાગ ૧-૨. પાના નં. ૭૦૧ થી ૭૧૦. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો - ઈ.સ. ૧૯૩૨.  આસ્તીક અને નાસ્તીક શબ્દની મીમાંસા.  લેખક : સુખલાલજી સંઘવી. તંત્રી : દલસુખ માલવણીયા. આવૃત્તી : ઈ.સ. ૧૯૫૭)

આ દસ પાનાની પીડીએફ ફાઈલ જોઈતી હોય એમણે કોમેન્ટ મુકી જણાવવું. મોકલી આપવામાં આવશે....

જૈન લાયબ્રેરી


Saturday 5 January 2013

મીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.



મીત્રો ફોરમનો અર્થ થાય છે ચર્ચા કરવા માટે કંઈક લખો અને મીત્રોના પ્રતીભાવો જુઓ.

પ્રતીભાવ, શ્રેણી બાબત નીચે બે લીન્ક આપેલ છે. 

Mobile phones at school (For and Against essay)
School Drop-Outs: Problems and Solutions



ઉપરની લીન્કની કલીક કરીને ફોર્મ ઉપર લખો કે પ્રતીભાવ આપો.