welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday, 24 November 2011

महिला मंत्रियों को नचनियां कहने पर विधानसभा में हंगामा

http://navbharattimes.indiatimes.com/articleshow/10838789.cms

महिला मंत्रियों को नचनियां कहने पर विधानसभा में हंगामा

भोपाल।। मध्य प्रदेश कांग्रेस अध्यक्ष कांतिलाल भूरिया ने बीजेपी की 2 महिला मंत्रियों को ' नचनियां ' कह दिया। कांतिलाल की इस टिप्पणी पर मंगलवार को मध्य प्रदेश विधानसभा में जबर्दस्त हंगामा हुआ।

स्पीकर ईश्वरदास रोहणी को सदन की कार्यवाही 10 मिनट स्थगित करना पड़ी। इस बीच, स्कूल शिक्षा मंत्री अर्चना चिटनीस ने विधानसभा को भूरिया के खिलाफ विशेषाधिकार हनन की सूचना देते हुए इसे स्वीकार करने का आग्रह किया।

शून्यकाल में यह मामला बीजेपी विधायक नीता पटेरिया ने उठाया। उन्होंने कहा कि भूरिया ने अर्चना चिटनीस और महिला एवं बाल विकास मंत्री रंजना बघेल को नाचने वाली बताकर नारी जाति का अपमान किया है। संसदीय कार्य मंत्री नरोत्तम मिश्र ने भी इसे पूरी महिला जाति का अपमान बताया।

મહીલા મંત્રીને નાચનારી કહ્યું.

આખું મહાભારત, રામાયણ બરોબર વાંચો. ઠેર ઠેર મહીલા ઉપર અત્યાચાર છે. દ્રૌપદીને પાંચ પતી, ગાંધારીની આંખે પાટા, સીતાનો જન્મ, રામનો બહીષ્કાર, ઠેર ઠેર નારી અત્યાચાર છે.

Friday, 18 November 2011

પત્થરાની પુજાનું ગતકડું


પત્થરાની પુજાનું ગતકડું

૧૯૮૯માં સ્ટીમ્બર ભરીને કુમ્પની માટે જસ્ત (ઝીંક) આયાત કર્યું. મોકલનાર પાર્ટી બેલ્જીયમની હતી અને પૈસા લંડનમાં ચુકવવાના હતા. માલ મુંબઈ આયાત કરવાનું હતું. દુબઈથી માલ ચડયો જે ૩-૪ દીવસની અંદર આવી જવો જોઈતો હતો. ૧૦-૧૨ દીવસના અંતે તપાસ કરતાં ખબર પડી કે એ માલવાહક જહાજમાં મુંબઈની ત્રણ પાર્ટીઓનો માલ હતો જેમાં બીજા બે જણાં મુંબઈમાં ભાડુ ભરવાના હતા. જહાજી ધંધામાં એ વખતે મંડી ચાલતી હતી એટલે ગોદી બહાર જહાજ કાઢી જહાજના માલીકે રુપીયા માંગ્યા. આવા સમાચાર હજી પણ છાપામાં આવે છે. હમણાં કીંગ ફીશર વાડો વિજય મલાયા પણ એજ તો કરે છે? આખી મેટર હું લંડનમાં લોઈડની વીમા કુમ્પનીમાં લઈ ગયો. ઘણી માથાકુટ પછી છ મહીને માલ તો મળ્યો પણ લંડન મેટલ એક્ષ્સચેન્જે ભાવ ઘટાડી નાખતાં નુકશાન ખુબ થયુ.

હવે આપણે નીચેની તસ્વીરો જોઈએ. આ તસ્વીરો મેં ગુગલમાં મુંબઈ વોર્સ્ટ એક્સીડેન્ટ્સ લખતાં બે લાખ તસ્વીરોમાંથી કોપી પેસ્ટ કરેલ છે.

તસ્વીર એકમાં ત્રણ તસ્વીર છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં ગીરદીના સીન છે. દર ૩-૪ મીનીટે ટ્રેન આવે પણ ગીરદી પારાવાર. બરોબર જુઓ. વચલી તસ્વીરમાં મહીલાઓ છે અને પ્રથમ વર્ગની આ હાલત છે. અહીં ત્રીજી તસ્વીરમાં મુસાફરો ટ્રેન આવે એની રાહ જુએ છે.




તસ્વીરમાં ત્રણ એક્સીડેન્ટના સીન છે જે તસ્વીરમાં દેખાય છે. વચલી તસ્વીર બરોબર જુઓ. કારના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે અને અડધા ટુકડો દેખાય છે.


તસ્વીરમાં એક્સીડેન્ટથી માનવ શરીરના શા હાલ થાય છે એ બતાવવામાં આવેલ છે.

અંગ્રેજીમાં પ્રોબાબીલીટી નામનો એક શબ્દ છે જેનો મતલબ થાય છે કે શક્ય શું છે? જેમકે સીકો ઉછાડીએ એટલે કાંતો કાંટો આવે નહીંતો છાપ જરુર આવે. આ કાંટાછાપ ગુજરાતી, મરાઠી, હીન્દી કે તેલુગુમાં એક જ શબ્દ વપરાય છે. આને કહેવાય જુગાર.

એનો મતલબ થાય છે કે પૃથ્વી ઉપર ધરતીકંપ થાય, સુનામી આવે, પૃથ્વીરાજ ચૌહાણ ગોરીની સાથે લડાઈમાં હારી જાય કે આબીદઅલી મરાઠાઓ સામે લડાઈ જીતીને પણ મરાઠી સૈન્યમાં વેશ્યાઓને જોઈ નફરત કરી જીતનો જશ્ન ન મનાવે. આવું બધું તો શક્ય છે. જુગાર રમીએ એટલે જીત થાય કે હાર થાય. ખીસાકાતરુ ગમે એવો નીષ્ણાત કે પીએચ.ડી. થયેલો હોય તો પણ દરેક વખતે દલો મળે એ શક્ય નથી.

હવે પત્થરની પુજા કરનારાની હાલત જોઈએ.

ભય, ડર, મોતની સામે આશ્ર્વાસન લેવા ધર્મગુરુઓએ આત્મા, કર્મ અને ધર્મનું ગતકડું શોધી કાઢ્યું અને ઓછ હોય એમ નરક અને મોક્ષની રચના કરી નાખી.

પછી તો બધાને મોક્ષમાં જવાની તાલાવેલી થવા લાગી અને ધર્મગુરુઓએ નવાનવા ગતકડાં ગોતી કાઢ્યા.

મીત્રો ઉપરની ત્રીજી તસ્વીર જોઈ આપણને દયા, કરુણા, વગેરે ઘણૂં ઘણું થતું હશેને? આ તસ્વીર કોઈને બતાવીએ તો એના શરીરના રોમ રોમામાં દુ:ખ અને ગ્લાની પણ થઈ જતી હશેને?

આ ધર્મગુરુઓએ પ્રોબાબીલીટી એ હકીકત છે એને બદલે ઠગાઈ કરી આત્મા, કર્મ, નરક અને મોક્ષની રચના કરી લોકોને ભય બતાવી ડરપોક, બીકણ અને અપંગ બનાવી નાખ્યા.

ફરી ક્યારેક મળીશું આ પત્થરની મુર્તીમાં પ્રાણ કેમ પુરવામાં આવે છે એ વીધી માટે.

Wednesday, 16 November 2011

હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

Jumbos hit by trains: When will these tragedies end?

2011-11-13 - Colombo, Sri Lanka. Kumudini Hettiarachchi

One is dead and will more follow, for three elephants have been mowed down by the Colombo Fort-Omanthai mail train at the 97.5 milepost between Galgamuwa and Ambanpola at about 3 a.m. last Tuesday. Ironically this is not the first but the third time that elephants have been knocked down at the same location. It was in June this year that three gentle giants died an agonising death after being hit by a special train carrying Poson pilgrims. A few years prior to that another three were killed prac...



હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

એક સમાચાર હતા કે રેલ્વેની અડફેટમાં એક હાથણી આવી ગઈ અને બીચારી મરી ગઈ પછીતો ગ્રુપના હાથીઓએ બુમા બુમ હાકોટા ડાકોટ કરી બધા હાથીઓને ભેગા કર્યા અને રેલ્વે પાટા પર શોકસભા ભરી. પોલીસ અને જંગલના અધીકારીઓ આવ્યા અને હાકોટા ડાકોટા કે બંદુકની અણીએ હાથીઓના ઝુંડને દુર કર્યા.

ખ્રીસ્તી, મુસ્લીમ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, વગેરે બધા ધર્મના અનુયાયીઓ પ્રાર્થના અને પત્થર પુજા કરે છે એની પાછળ આ અજ કારણ છે કોઈ નજીકનું મરણ કે મારણ થયું એટલે રોક્કડ કરવી અને બધાને ભેગા કરવા.

પછીતો કોઈકે આનું કારણ શોધી કાઢ્યું કે પ્રાર્થના કરો, પત્થરની પુજા કરો અને મરણ કે મારણનો ભય કાઢો.

ધંધો ચાલ્યો જોરદાર અને દરેક ભગવાન, ઈશ્ર્વર, અલ્લાહ, ગોડ, ઋષી, મુની, ધર્મગુરુ, આચાર્ય, ભુવા, ડાકલીયા, ભેગા થયા. પોતાનો ફાયદો થતો જોઈ નવી નવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા.

કોઈ વળી ઉમેર્યું હાથ આમ ઉંચા કરો, આંગળીઓ આમ ગોઠવો, શ્ર્વાસ આમ લેવું અને આમ બહાર કાઢવું. આહવાન આમ આપવું. વ્યકતીગત, સામુહીક પ્રાર્થના આમ કરવી. અમુક દીવસે તો કરવી જ. આ પ્રાર્થનામાં કોઈકને તુત સુજયું અને પછી ભાવ પ્રાર્થના સાથે નવા નવા તુત સુઝ્યા. એમાં આવી આ પત્થર પુજા. કોઈ ગોળ પત્થર, કોઈ ચોરસ, કોઈ માનવ કે પ્રાણી જેવી તો કોઈક વીચીત્ર ચીતરી ચડે એવી આકૃત્તી.

કડીયા, સોમપુરા બધાનો ધંધો જોરથી ચાલવા લાગ્યો. ધર્મગુરુઓએ કહ્યું આમાં કરો પ્રાણ પ્રતીષ્ઠા અને પત્થર સજીવન બની ગયો.

પત્થર પુજાના મોટા મોટા આખી પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે સ્થાન બન્યા. કોઈએ આખા આખાને ડુંગર કે પહાડ ખોદી મોટી મોટી અલૌકીક મુર્તીઓ બનાવી દીધી.

નેટ ઉપર જુઓ. વધુને વધુ પ્રાર્થનાઓ લખાય છે. થોડીક શરુઆત પછી નેટ ઉપર પણ પત્થર પુજા શરુ થશે. આ પત્થરો કેવા હોવા જોઈએ અને એનો ઘાટ કેવો હશે એ આપણે જોઈશું.

હાથીઓના ઝુંડને બંદુકની અણીએ રેલ્વેના પાટ ઉપરથી દુર કરી નાખ્યા. જોઈએ આ નેટ ઉપર શું થાય છે?

નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

Saturday, 12 November 2011

એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૪. એપ્રીલ, ૨૦૦૩માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........



એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૫. મે માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........




એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૬. જુન ૨૦૦૩માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........


Friday, 11 November 2011

બધી પ્રજાઓ વહેમી છે.

બધી પ્રજાઓ વહેમી છે.

૧૯૫૦માં ગુજરાતી નવલકથામાં ગુજરાતનું સામાજીક જીવન એ નીબંધ માટે ફાર્બસ સભા તરફથી ઈનામ મેળવનાર અને માનસ શાસ્ત્રના પ્રાધ્યાપક હર્ષીદા પંડીતના પીએચ.ડી. માટેના વહેમનું મનોવીજ્ઞાન ઉપરના મહાનીબંધ ૧૯૮૩ અને આપણાં વહેમો ૧૯૮૫ નામની પરીચય પુસ્તીકામાંથી વાંચકો અને વીવેચકો માટે જ્ઞાનકોષ ...લી. વીકેવોરા...


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFdKeBDwYCRFA8wsOU8B4IL7DStRhR9LLLwsTD6xDwci-ry76ccpJcHL-1xwTge31TwHAHv-kQNlhwzUkwasvsRFvDKgajEoME5w3Af_5Bul9SGyIcE-7HFuRm6mJC4GckiVnp7g/s1600/KVO+PAGDANDI+Superstistiously+believe+in+Irrational+Feelings.gif



Thursday, 10 November 2011

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો.....

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો.....

શ્રી ગોવીન્દભાઈ મારુના બ્લોગ અભીવ્યકતી ઉપર શ્રી મુરજીભાઈ ગડાને વાંચો
http://govindmaru.wordpress.com/2011/11/09/murji-gada-9/

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચા કરીએ તો મજા ન આવે. મીત્ર અશોક મોઢવાડીયા કહે ગામડામાં જગ્યા બનાવીએ એટલે થોડાક પત્થરા ભેગા કરી, માંટી, ચુના, સીમેન્ટથી બાંધી જરુરી બારી બારણા અને છત થાય એટલે આલીશાન ભવન તૈયાર. ( જો કે એમાં બારી તો ખાલી સમ ખાવા પુરતી હોય.. આ મારા વીચાર છે ). રહેવા જતાં પહેલા લાપસીના જમણને અમે વાસ્તુ કહીએ એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. મુળ વાત છે આ લાપસી કે સીરાની જે જટપટ સોસરું પેટમાં ઉતરવું જોઈએ.

આ મુરજીભાઈ પણ કમાલ છે. મથાળું બાંધ્યું મનનો અંધાપો અને તાર્કીકતા અને શરુઆત કરી કુવામાંના દેડકાથી. આમતો ભારતમાં બધા લોકો એક જ જાતના છે જેને કોઈ પણ વીદેશી હીન્દુઓનો દેશ તરીકે ઑળખે છે.

મહમદ ગજનવીને સોમનાથ સુધી લઈ આવનાર અને વાસ્કો ડી ગામાને ભારતમાં લઈ આવનાર એક જ જણ હતો અને એ મારો મીત્ર અને દુરનો સગો થાય.

મેં એ સગાને પુછ્યું આમને શા માટે લઈ આવ્યો? તો કહે આપણી હીન્દુ સંસ્કૃતી અને સમૃદ્ધી બતાવવા. એટલે કે ભારતમાં જૈન, બૌદ્ધ, શીખ, મનુવાદી, બ્રાહ્મણો, ક્ષત્રીયો, વૈશ્ય, શુદ્ર, પછી મુસલમાનો, ઈસાઈઓ અને ૩૦૦૦ પેટા જાતી જમાતીઓ બધા એક જ હીન્દુ ધર્મના સમજવા.

આ તર્ક કે દર્શનની વાત કરીએ તો સંતરાનું ઉપરનું પડ ખોલીએ અને બધા અલગ અલગ થઈ જાય. લેખમાં મુરજીભાઈએ લખ્યું છે કે દુનીયા વીશાળ છે અને અલગ અલગ દેશમાં જાત પાતના ભાતભાતના લોકો વસે છે અને"....કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે..."

પછી તો ધર્મગુરુ, આંતકવાદીઓ, નાજીઓ, સામ્યવાદ, ચમ્તકાર, પરલોક, વગેરેનો પણ ઉલ્લેખ છે.

મેં એક કોમેન્ટ મુકી છે કે મોક્ષની રચના માણસના મગજમાંથી જન્મેલ કાલ્પનીક રચના છે અને ધર્મ ગુરુઓ, રાજ કરણીઓ આ મોક્ષ મેળવવા લોકોને છેતરી ઠગાઈ કરે છે એનો અર્થ એજ થાય છે કે જો મોક્ષ જેવી કંઈક રચના હોય તો ભારત સીવાય જાપાન, ઈન્ડોનેશીયા, અફઘાનીસ્તાન, ચીન, યુરોપ, બ્રાઝીલ, કેનેડા, ઉત્તર ધ્રુવ, સુરજ જ્યાં ઉગે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર કીરીબાટી (kiribati) કે સુરજ જ્યાં આથમે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર અલાસ્કાનું સીવાર્ડ પેનીનસુલા (Seward Peninsula), ક્યાંક તો આ મોક્ષની રચના જરુર હોવી જોઈએ ને?

ડફોળ ઋષી મુનીઓએ બનાવેલ આ મોક્ષની રચના પત્થરાને પુજવાથી, પશુના પુંછડાને આંખે લગાડવાથી, યજ્ઞમાં ડાયનાસોર, વહેલ, હાથી, ઘોડા, જવ, મધ, ઘીની આહુતીથી, મંત્રોના ઉચ્ચારથી, જેટલા ભુવા એટલા વીધી વીધાનથી મળે છે.

સરદાર વલ્લભભાઈ પટેલે સોગંદ ખાઇ સાથીઓના સથવારે સ્વતંત્ર, પ્રજાતંત્ર, લોકતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી છેવટે તો પત્થર પુજાને પ્રોત્સાહન આપ્યું મોક્ષ મેળવવા.

મુરજી ભાઈના શબ્દોમાં .....મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’.

Tuesday, 8 November 2011

તમને કોણ કેવી રીતે છેતરે છે? લેખક : લક્ષ્મીદાસ ખટાઉ. અર્પણ : ઈશાકભાઈ રંગવાલાને. પ્રસ્તાવના : જુઓ જીઆઈએફ ફાઈલમાં......લી. વીકે વોરા

તમને કોણ કેવી રીતે છેતરે છે? લેખક : લક્ષ્મીદાસ ખટાઉ. અર્પણ : ઈશાકભાઈ રંગવાલાને. પ્રસ્તાવના : જુઓ જીઆઈએફ ફાઈલમાં......લી. વીકે વોરા




મારી ધોળાવીરાની મુલાકાત : પ્રાચીન મહાનગર સંસ્કૃતીનૂ નગર

મારી ધોળાવીરાની મુલાકાત

મીત્રો, મેં ધોળાવીરાની મુલાકાત લઈ એની ઘણી માહીતી અંગ્રીજી વીકીપીડીયા ઉપર તેમજ અન્ય વીકીપીડીયા ઉપર મુકેલ છે.

લિન્ક્ નીચે આપેલ છે.



નીચે મારો પત્ર છે.



Monday, 7 November 2011

દીવાળીની વધેલી વાસી મીઠાઈ સસ્તામાં

દીવાળીની વધેલી વાસી મીઠાઈ સસ્તામાં

હેડીંગ વાંચી ચોકી ગયા ખરું ને? વાસી મીઠાઈ સસ્તામાં તો શું કોઈ મફતમાં પણ ન લે. તો ચાલો વાસી વીચારોને છોડી પ્રારબ્ધવાદી મટી પુરુષાર્થવાદી બનીએ, વૈજ્ઞાનીક અભીગમ કેળવીએ અને આપણે વીવેક બુધ્ધી વાપરીએ.

વાંચો મારા મીત્રની આખી જાહેરાત એમનાં જ શબ્દોમાં.