પોલીઓ : ૨૦૧૪ સુધીમાં ભારત પોલીઓ મુક્ત થવાની પુરી શક્યતા છે.
બુધવાર ૨૩.૧૦.૨૦૧૨ના વિશ્ર્વ પોલીઓ ઉન્મુલન દીવસ મનાવવામાં આવશે.
દુનીયામાં ૧૯૮૮માં ૩,૫૦,૦૦૦ પોલીઓના કેસ નોંધાયેલ, ૨૦૦૧માં પોલીઓના ૪૮૩ કેસ નોંધાયેલ અને ૨૦૦૯માં પોલીઓના ૧૬૦૬ કેસ નોંધાયેલ.
૧૯૭૮ પછી ભારતમાં પોલીઓ વીરુદ્ધ જુંબેશ શરુ થઈ અને ૨૦૦૬માં ભારતમાં ૬૬૦ કેસ નોંધાયેલ.
જાન્યુઆરી ૨૦૧૧માં પશ્ર્વીમ બંગાળના હાવડા જીલ્લામાં પોલીઓનો છેલ્લો કેસ નોંધાવવામાં આવેલ છે.
૨૦૧૪ સુધીમાં કોઈ કેસ નહીં દેખાય તો પોલીઓ ગ્રસ્ત દેશોની યાદીમાંથી ભારતનું નામ હટાવી દેવામાં આવશે.
પોલીઓ ગ્રસ્ત દેશોની યાદીમાંથી ભારતનું નામ હટે તો એના પછી નાઈજેરીઆ, પાકીસ્તાન અને અફઘાનીસ્તાનનો વારો આવશે.
એડવર્ડ જેનરે શીતળાની રસી તૈયાર કરી અને આસ્તે આસ્તે આખી દુનીયામાંથી શીતળા નાબુદ થઈ ગઈ. ભારતમાં છેલ્લે ૧૯૭૯માં શીતળાનો કેસ નોંધાયેલ.
૧૯૧૦ થી ૧૯૭૫ વચ્ચે ઘણાં દેશોના નીસ્ણાતોએ સંશોધન કરી પોલીઓને નાબુદ કરવા કમર કસી.
૧૯૫૫ પછી આશા બંધાણી કે પોલીઓ નાબુદ થવાની શક્યતા છે.
૨૦૧૨ સુધીમાં દુનીયામાં બે કરોડ લોકો એવા હસે જેમને પોલીઓ થયો હસે અને પોલીઓની અસરમાં આજે જીવતા હસે.
અમેરીકામાં ૧૯૯૪ પછી પોલીઓ દેખાયો નથી.
ચીન અને ઓસ્ટ્રેલીયામાં ૨૦૦૦ પછી પોલીઓના કેસની કોઈ નોંધ નથી.
યુરોપમાં ૨૦૦૨ પછી પોલીઓનો કોઈ કેસ નોંધાયેલ નથી.













