welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 2 March 2010

“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની “ અને Comment of V K Vora.

મીત્ર ભુપેન્દ્રસીંહ પોતાના બ્લોગ ઉપર એક પોસ્ટ મુકેલ છે. એ કૃતીનું હેડીંગ છે.
“અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની “ અને એની લીન્ક છે.
=
મહાવીર નો ગર્ભ બ્રાહ્મણીના પેટમાં હતો. દેવોએ વિચાર્યું કે બ્રાહ્મણની સ્ત્રીના પેટે અવતરેલો બાળક તીર્થંકર નહિ બની શકે. એટલે ગર્ભ ને ઉઠાવીને ક્ષત્રીયાણી ના પેટા માં મૂકી દીધો. વાર્તા છે.સમજવા માટે છે.
==
જૈનોમાં શ્ર્વેતામ્બર અને દીગમ્બર એમ બે મુખ્ય ભાગ છે. કોઈક કારણસર જૈન સાધુઓ પોતાના અનુયાયીઓને છોડી ક્યાંક (સમજી લો કે દક્ષીણમાં) ચાલ્યા ગયા. પાછા વસ્તીમાં આવ્યા ત્યારે જોયું કે અનુયાયી શ્રાવકોએ સફેદ વસ્ત્રોમાં સાધુઓને તૈયાર કરી જેવો આવ્યો એવો જૈન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા. રોજ નવી નવી વાર્તા બનાવવા લાગ્યા.
આ દીગમ્બર સાધુઓએ જોયું કે આપણે અનુયાયી શ્રાવકોને છોડી ગયા એટલે શ્રાવકો ભરવાડ બદલાવી એક વાડામાંથી બીજામાં ચાલ્યા ગયા છે અને બધું જ રુપ રંગ આચાર વીચાર બદલાવી નાખેલ છે. આ ગર્ભ હરણની વારતા શ્ર્વેતામ્બરોમાં આવે છે. દીગમ્બરો તો આજે પણ ઉપજાવી કાઢેલ વાર્તા કહે છે.
મહાવીર અને બૌદ્ધ આત્મા, પરમાત્મા, કર્મ, નરક, મોક્ષ, જન્મ, આગલા કે પુર્વ જનમ અને હવે પછીના પુનઃ જનમમાં માનતા જ ન હતા. પણ મહાવીર અને બૌદ્ધના ૪૦૦-૬૦૦ વર્ષમાં વાડા એટલા બદલાયા કે આત્મા, કર્મમાં માન્યા વગર ચેન પડતું ન હતું.
મંદીરો અને મુર્તી પુજાના વીરુદ્ધમાં બૌદ્ધ અને જૈનોએ ઈસ્લામના શાસકોને ભારતમાં આમંત્રણ પણ આપ્યું. આ છે વાર્તાનો સાર.

5 comments:

  1. તમારી કોમેન્ટ પર મેં પ્રતિભાવ આપ્યો છે.
    જવાબ આપશો (સાબિતીથી) તો લોકોને ઈતીહાસ સમજાશે.

    ReplyDelete
  2. અગીયારમી સદી પહેલાં જૈનોના અત્યારના સ્થાનકવાસી જેવો એક પંથ હતો. મુર્તીપુજામાં એનો સખત વીરોધ હતો. ભારતમાં મુર્તીપુજા જોર જોરથી ચાલતી હતી. આ અને આવા સંઘ, સાધુ અને વ્યક્તીઓએ ભારતમાં ઇસ્લામના શાસકોને મુર્તીઓને ખંડીત કરવા અને મંદીરો લુંટવા આમંત્રણ આપ્યું. મીત્રો ઈતીહાસ પચાવવું બહું અઘરું છે. આપનો ઈમેલ સરનામું કે બ્લોગ સરનામું મોકલશો તો વધારાની વીગતો જરુર મોકલી આપવામાં આવશે.

    ReplyDelete
  3. મને સારું લાગશે જો તમે પબ્લિક ડોમેનમાં વિગતો મુક્શો.

    આ લેખના પ્રતિભાવમાં અથવા ભુપેન્દ્રજીના બ્લોગ પર અથવા કોઈ પબ્લિક વેબસાઈટ જ્યાં ડોક્યુમેન્ટ અપલોડ થઈ શકે અને "શેર" થઈ શકે.

    ReplyDelete
  4. વોરા સાહેબ, તમે જ્ઞાનના ભંડાર છો, મને આપના નાનાભાઈ માનજો, આપની કટાક્ષમય શૈલીમાં ઉંડાણ છે જે સમજવાની મજા પડે છે.

    વોરા સાહેબ, મુંબઈ છોડ્યાને આજે દસ વરસ થઈ ગયા છે મારો જન્મ જે.જે. હોસ્પિટલ જ છે, ગ્રાંટરોડ્થી કાંદ્દિવલી અને બોરીવલી, અને હવે તો નોકરીએ સિધા દિલ્લી આવી ગયો છુ. પણ મારુ સરનામુ padayaji@gmail.com છે. મને મારા યોગ્ય માહિતી આપવા નમ્ર વિનંતિ સ્વિકારજો પ્લીઝ...

    ReplyDelete
  5. Dear VK Vora,

    Greetings.. I am too a rationalist but more of a non-theist. You may visit my blog on

    www.madhav.in

    There are few posts and comments /discussions you may like. Do read "Our Religion is a Joke?" - you might find it interesting.

    Must compliment you on your blog. Awaiting you at mine!

    Kind Regards,

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર