welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday, 19 October 2009

દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.

દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.

માંસ, મધ, મદીરા, માંખણ, વગેરે અભક્ષ છે. દુધમાંથી માંખણ અલગ કરવું મુશ્કેલ છે એટલે દુધ અને દુધમાંથી બનતી બધી વાનગીઓ પ્રાણીજ ખોરાક છે અને જૈન સાધુ માટે અભક્ષ છે.

ગાય પોતાના વાછરડા માટે થોડાક મહીના માટે જ દુધ ઉત્તપન્ન કરે છે. વધુ દુધ ઉત્તપન્ન કરવા માટે કોઇપણ સંજોગોમાં ગાયને ગર્ભવતી રાખવામાં આવે છે. ગાય પાસેથી વધારે દુધ ઉત્તપન્ન કરવા એને અમુક પ્રકારના કેમીકલના ઇન્જેકશન આપવામાં આવે છે.

બે વર્ષનું બાળક દુધ લે એ સમજી શકાય પણ મોટી ઉમરના સ્ત્રી કે પુરુષને દુધની જરુર નથી હોતી. દુધ માંથી મળતા બધા તત્ત્વો દુધ કરતાં સહેલાઇથી, સુલભ, ગરીબોને પણ પરવડે એ રીતે વનસ્પતીમાંથી (જેમકે કઠોળ) વગેરેમાંથી મળી શકે છે.

વધુ દુધ ઉત્તપન્ન કરવા તબેલામાં ગાયને સતત ગર્ભવતી રાખવામાં આવે છે જેથી થોડાક વર્ષમાં જ ગાય દુધ આપતી બંધ થાય છે અને નકામી ગાયને કતલખાને મોકલવામાં આવે છે.

કોઇ સ્ત્રીને પુછવું જોઇએ એ બીજાના બાળકને પોતાનું દુધ આપશે? ગાય પાસેથી દુધ છીનવી લઈ લેવામાં આવે છે. એટલે જૈન દર્શન કે તત્ત્વજ્ઞાન પ્રમાણે બીજા પાસેથી છીનવી દુધ પીવું જોઇએ નહીં. એટલે દુધ અને દુધમાંથી બનતી વાનગીઓ સાધુ માટે અભક્ષ છે અને ગોચરીમાં દુધ આપવાથી શ્રાવકને પણ દોષ લાગે છે.

vkvora2001@yahoo.co.in
Tel. 98200 86813

જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.

સ્વતંત્રતા આંદોલન વખતે સ્વામી શ્રદ્ધાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, વગેરે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરેલ.

હિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.

ચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અને ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.

મહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.

કનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.
..... ..... પાટણથી પટોળા મોંઘા લાવજો ..... ..... .....
..... ..... દીવો રે દીવો, માંગલીક દીવો ..... ..... .....

આચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.

સંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.

નીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક

-- આચાર્ય હેમચન્દ્ર --

જરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.

Attachments
મને ઈ મેલ કરો આ પીડીએફ ફાઈલ જરુર મોકલી આપવામાં આવશે.
email : vkvora2001@yahoo.co.in

હેમચન્દ્ર સૂરિ ટૂંક પરિચય ( ત્યાં આ લેખની લિન્ક આપી છે.)

http://sureshbjani.wordpress.com/2006/07/29/hemachandra/





રાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમેરે પોપટ રાજા રામના,
હો..... જી રે અમે રે પોપટ રાજા રામના
ઓતરા તે ખંડમાં આભલો પાક્યો ત્યારે સુડલે મારી રે મોરે ચાંચ મારી પીંગલા
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને અમેરે મૃગેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે મૃગેશ્ર્વર રાજા રામના
વનડા તે વનમાં પારધીએ ફાંસલો બાંધ્યો,
પડતાં છાંડયા મેં મારા પ્રાણ રાણી પીંગલા,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણીને અમેરે બ્રહ્મેશ્ર્વર રાજા રામના,
હો..... જી રે અમે રે બ્રહ્મેશ્ર્વર રાજા રામના
કુંડલીક વનમાં ફુલ વીણવા ગ્યો તો ત્યારે ડસીયલ કાળોળુ નાગ,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પીંગલા અમેરે ભરથરી રાજા રામના,
હો..... જી રે અમે રે ભરથરી રાજા રામના
ચાર ચાર જુગમાં તારો વાસ હતો ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના



હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે


હેજી તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે,
આવકાર મીઠો….આપજે રે જી…..

હેજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે, રે,
બને તો થોડું…..કાપજે રે જી…….

માનવીની પાસે કોઈ…. માનવી ન આવે…. રે….. (2)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [1]

કેમ તમે આવ્યા છો ?….. એમ નવ કે’જે…. રે…..(2)

એને ધીરે એ ધીરે તુ બોલવા દેજે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [2]
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે…..(2)

એને માથું એ હલાવી હોંકારો દે જે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [3]
‘કાગ’ એને પાણી પાજે….
સાથે બેસી ખાજે…… રે…. (2)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે –
આવકાર મીઠો…..આપજે રે જી…. [4]



==



હંસલા હાલો રે હવે,  મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર, માથે મેહુલાનો માર, દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે, કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે, માટી માટીને મળે,  પ્રીતડી નહીં રે બળે



====



વડલો કહે છે વનરાયું સળગી

વડલો કહે છે વનરાયું સળગી ને
મેલી દીયોને જૂનાં માળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી

બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા
કો'ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળા
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી

ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
રચનાઃ દુલા ભાયા 'કાગ'

Wednesday, 6 May 2009

ઉંમર કો તાલીમ સે ક્યા લેના દેના, બડે મિયાં !


http://www.gujaratsamachar.com/beta/content/view/34267/36/

ઉંમર કો તાલીમ સે ક્યા લેના દેના, બડે મિયાં !

પ્રસંગ પટ આના લેખક છે GS NEWS    બુધવાર, 06 મે 2009

બીજા ઘણા માબાપની પેઠે એ પણ ત્યાં એસ એસ સીનું ફોર્મ લેવા ઊભા હતા. એમની પૌત્રી એસ એસ સીની પરીક્ષામાં બેસવાની હતી. પૌત્રીનું ફોર્મ મળી ગયા પછી પણ એ પ્રૌઢ આદમી ત્યાં ઊભો હતો. એ જોઇ સ્કૂલના પ્રિન્સિપાલે પૂછ્યું -કુછ ઉલઝન હૈ, બડે મિયાં ? જી...જી... પેલા વડીલ થોડા ખંચકાતા હતા.


પ્રિન્સિપાલે એનો ઉત્સાહ વધારતાં ફરી કહ્યું - હાં હાં બતાઓ તો ક્યા બાત હૈ... ત્યારે સહેજ ડરતાં, સહેજ શરમાતાં પેલા પ્રૌઢે પૂછી લીધું કે ક્યા કોઇ ભી શખ્સ યહ ઇમ્તિહાન દે સકતા હૈ ? હાં હાં, ક્યૂં નહીં, જવાબ મળ્યો.


હવે પેલા માણસની હિંમત વધી. એણે પ્રિન્સિપાલની નજીક જઇને કહી દીધું કે સાહબ, સબ્જિયાં બેચ કર અપના પેટ ભરતા હું, લેકિન ઔર કુછ ઇલ્મ હાસિલ કરના હૈ, ઔર કુછ પઢના હૈ. બસ, થોડી સી ઝિઝક હૈ. કાહે કિ ઝિઝક બડે મિયાં, તાલીમ કો ઉંમર સે ક્યા લેના દેના? યહ લો ફાર્મ ઐાર ભર કે લાઓ.


આખોય ખેલ તમાશો સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓ જોઇ રહ્યાં હતાં. એેને કારણે પેલા પ્રૌઢને મનોમન એવી લાગણી થતી હતી કે જાણે પોતે કોઇ ખોટું કામ કરી નાખ્યું છે. એક ખૂણામાં બેસીને એણે શાંતિથી સુઘડ અક્ષરે પોતાનું ફોર્મ ઊર્દૂમાં ભર્યું અને પ્રિન્સિપાલને જોવા આપ્યું. એક શાકવાળાના આવા મોતીના દાણા જેવા અક્ષર જોઇને પ્રિન્સિપાલ ખુશ થઇ ગયા. કદાચ એમને નવાઇ પણ લાગી હશે કે એવા કયા સંજોગો હશે કે આ માણસ ભણી નહીં શક્યો હોય. પોતે એક ભણવા ઇચ્છુક માણસને મદદ કરી રહ્યા છે એનો એ શિક્ષકને સંતોષ હતો.


વાત છે દેશના સૌથી વિરાટ અને સૌથી ગરીબ રાજ્ય ઉત્તર પ્રદેશની અને જેની વાત થઇ રહી છે એ માણસ દેશની સૈાથી મોટી લઘુમતીનો છે.


મુસ્લિમ છે. આ લઘુમતીના ૬૦ ટકાથી વધુ બાળકો માત્ર પારાવાર ગરીબીને કારણે સ્વેચ્છાએ કે માબાપના દબાણને કારણે અડધેથી ભણતર છોડી દે છે. અને એટલે જ આ કિસ્સો વધુ પ્રેરક છે. ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સમાજમાં ભણતરનું પ્રમાણ ફક્ત ૩૦ ટકા છે. જો કે રાજ્યની એવરેજ કંઇ વધુ નથી. સાડા છપ્પન ટકા છે.


તાજેતરમાં  અર્થાત્ ૨૦૦૯ના એપ્રિલમાં એવા એક નહીં બે પ્રૌઢે ઉત્તર પ્રદેશ સેકંડરી બોર્ડ એક્ઝામ આપી. બંને પોતાના પરિવારમાં દાદા અને નાના બની ચૂક્યા છે. પરંતુ તેમના મનમાં ભણતર પ્રત્યે અદમ્ય આકર્ષણ છે. પોતાના પૌત્ર-પૌત્રી કે દોહિત્ર -દોહિત્રીની વયનાં બાળકો સાથે બેસીને આ બંનેએ બોર્ડની પરીક્ષા આપી. એમને જોઇને ઘણાં બાળકોએ ક્હયું કે હમ આપ કે લિયે દુઆ કરેંગે કે આપ ઇસ બાર પાસ હો જાયેં... (અમે આપને માટે પ્રાર્થના કરીશું આ વખતે કે આપ પાસ થઇ જાએા.) એક પ્રૌઢનું નામ આખા ફતેહપુર જિલ્લામાં જાણીતું છે. ૬૫ વરસના જબ્બાર હુસૈન સબ્જીવાલે દદ્દુ તરીકે જાણીતા છે. બધા એમને પાનો ચડાવતાં કહે છે કે તમે બધાંને તાજાં શાકભાજી તો ખવડાવો છો. અબ તો હમકો આપ કે લડ્ડુ ખાને હૈં ઇસ લિયે બહેતર હૈ કિ આપ પાસ હો જાઓ... રોજ બારથી ચૌદ કલાક કામ કરતા જબ્બાર મિયાંને અભ્યાસનો સમય બહુ ઓછો મળે છે. જો કે ઘણીવાર એમની મૂંઝવણ મહોલ્લાના બીજા છોકરાઓ દૂર કરી દે છે. કારણ, સ્કૂલમાં જવાનો અને કોઇ શિક્ષકની મદદ લેવાનો એમને ન સમય છે, ન તો એ શક્ય છે. સરેરાશ રોજના રૃા.૨૦૦ કમાઇને પરિવારનું પેટ ભરવાના પ્રયાસોમાં એમનો દિવસ પૂરો થઇ જાય છે. સૌથી રસપ્રદ વાત એ છેકે આ માણસની ધીરજ અને એની સહન શક્તિ અનોખી છે.  આ વખતની ટ્રાયલ એમનો પિસ્તાલીસમેા પ્રયાસ છે. અત્યાર અગાઉ એ ૪૪ વખત પાસ થવાના પ્રયત્નેા કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી હતાશ થયા નથી. પહેલી વાર નાપાસ થઇને આપઘાત કરવાના વિચારો કરતા બાળકો માટે આ કિસ્સો પ્રેરણા રુપ બની રહેવો જોઇએ.


લેખની શરૃઆતમાં જેમની વાત કરી એ છે નૂર મહંમદ.  એ નવાબી શહેર લખનઉના છે.  એ જ્યારે પહેલા દિવસે પરીક્ષા આપવા ગયા ત્યારે પરીક્ષા ખંડના સુપરવાઇઝરને એમ કે એ કોઇ બાળકના વાલી છે અને ભૂલથી હૉલમાં રહી પડયા છે એટલે એમને કહ્યું કે અબ આપ બાહર જાઇયે. ઇમ્તિહાન શુરુ હોને જા રહા હૈ... જરાય ખોટું લગાડયા વિના નૂર મહંમદે પોતાનું એડમિટ કાર્ડ સુપરવાઇઝરને દેખાડયું ત્યારે માંડ પેલાએ એમને સીટ પર બેસવા દીધા. નૂર મહંમદ થોડા રમૂજી સ્વભાવના છે. એ કહે કે ઉન કે ચહેરોં પર અચંબા સા દેખકર મુઝે બડા મજા આતા હૈ. એમને વિસ્મય અનુભવતા જોઇને મને મજા પડે છે. નૂર મહંમદ સીતાપુર જિલ્લાના પાડેરા ગામના છે. ત્રણ સંતાનના પિતા અને આઠ પૌત્ર-પૌત્રીના દાદા એવા નૂર મહંમદે ૧૯૬૪માં આઠમા ધોરણની પરીક્ષા પાસ કરેલી. પછી એમના પિતાએ કહ્યું, બસ બહુત પઢાઇ હો ચૂકી. અબ કોઇ કામ ધંધા કરો ઔર અપના પેટ ભરના સીખો....

અમીનાબાદ ઇન્ટર કૉલેજના પ્રિન્સિપાલ જે પી મિશ્રા કહે છે કે આજની પેઢીનાં સહેલાઇથી હતાશ થઇ જતાં  બાળકોએ નૂર મહંમદ જેવા લોકો પરથી કંઇક શીખવું જોઇએ. વાત તો સાચી.  ખરું કે નહીં ?
· · · Share · Delete

Monday, 30 March 2009

નાસ્તીકોની સભા સોમવાર તારીખ ૩૦મી માર્ચ, ૨૦૦૯. સવારના દસ વાગે.

==

નાસ્તીકોની સભા સોમવાર તારીખ ૩૦મી માર્ચ, ૨૦૦૯. સવારના દસ વાગે.સ્થળ : મ્હાપે જંગલ વીસ્તાર, મહાપે, નવી મુંબઈ.











નાસ્તીકોની સભા સોમવાર તારીખ ૩૦મી માર્ચ, ૨૦૦૯. સવારના દસ વાગે.સ્થળ : મ્હાપે જંગલ વીસ્તાર, મહાપે, નવી મુંબઈ.
==

Friday, 11 July 2008

2008-07-11 : ચોખા, ઘંઉ, સીંગ દાણા, ચણા, તુવર, મગ, મસુર દાળના ભાવ


Thursday, 10 January 2008

ધર્માતરણ


મુસલમાનો હીન્દુસ્તાનમાં આવ્યા અને ધર્માતરણ શબ્દ લેતા આવ્યા. આ મુસલમાનોને હીન્દુસ્તાનમાં લઈ આવનાર હીન્દુઓના પ્રતીનીધીઓ જ હતા. ભારતમાં મુર્તીપુજાનું ચલણ પુરજોરમાં ચાલતું હતું અને જે મુર્તીપુજામાં ન માનતા હતા ખાસ કરીને જૈનો જે મુર્તીપુજામાં ન માનતા હતા એઓમાંથી ઘણાં આ ઈસ્લામ ધર્મના શાસકો પાસે ગયા અને આવવા આમંત્રણ આપ્યું.

ઔરંગજેબના જમાનામાં આ પ્રવૃત્તીએ વેગ પકડયો. આમ તો શીવાજી ખંડીયો રાજા હતો અને એટલે જ શએનશાહના દરબારમાં ગયો હતો. શીવાજીએ સુરતમાં દુનીયાની મોટામાં મોટી લુંટ ચલાવેલ અને ઔરંગજેબના હજુરીયાઓ ઉશ્કેરાયા. આ શીવાજીને પાંસરો કરવા ધર્મ પરીવર્તનની શરુઆત કરી. પછી તો ઔરંગજેબને આવા ખંડીયા રાજાઓને પાંસરો કરવાનું સહેલું હથીયાર મળી ગયું. જરા ઈતીહાસ જોવાથી ખબર પડશે શીવાજીનો બાપ, પોતે અને પુત્ર બધાએ મુસલમાનો પાસે પગચંપી કરેલ છે. સુરત લુંટ પછી દીલ્લી કે આગ્રા શહેનશાહ આલમગીર પાસે જવાની શી જરુર હતી?

ધર્માંતરની શરુઆત અહીંથી થાય છે. એ પહેલાં હીન્દુ, બૌદ્ધ કે જૈનોમાં જે અરસ પરસ ધર્માંતર થયેલ એ બે ભાઈઓ ઝગડી અલગ થતા હતા અથવા ભેગા થતા હતા. પણ શીવાજી પછી કોઈ ભેગા ન થઈ શક્યા. શીવાજી કે મરાઠાઓની ચોથને કારણે આખા ભારતમાં આ મરાઠાઓ અળખાંમણા થયા. આજે બાળ ઠાકરે ભલે હીન્દુ હીન્દુ નું ગાણું ગાતો હોય પણ આ શીવાજીએ ઔરંગજેબને ઉશ્કેરી જે નુકશાન કર્યું એનું પાપ આ શીવાજી અને એના વારસદારોને ૭૧ પેઢી સુધી ચાલશે.


Tuesday, 1 January 2008

અપમાનનીત થવું, હડધુત થવું, ભૃષ્ટાચારનો વ્યાપ વધવો, ખોટો રુબાબ કરવો આ ધર્મની અસરને કારણે થાય છે.

અપમાનનીત થવું, હડધુત થવું, ભૃષ્ટાચારનો વ્યાપ વધવો, ખોટો રુબાબ કરવો આ ધર્મની અસરને કારણે થાય છે.

Monday, 1 October 2007

80G Certificate 2005 to 2008