welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 31 August 2012

સુપ્રીમ કોર્ટ, ફાંસીની સજા, કાયદાકીય જોગવાઈ, આકરી સજા, ન્યાય પ્રક્રીયા, સાક્ષ્ય આધાર, તર્કપુર્ણ ન્યાય. બાબરાનું ભુત.

સુપ્રીમ કોર્ટ, ફાંસીની સજા, કાયદાકીય જોગવાઈ, આકરી સજા, ન્યાય પ્રક્રીયા, સાક્ષ્ય આધાર, તર્કપુર્ણ ન્યાય.  બાબરાનું ભુત.


પાકીસ્તાનના નાગરીક અજમલ કસાબને આંતકવાદી પ્રવૃત્તીઓ માટે મુંબઈના એક પોલીસ કર્મચારીએ પોતાનું બલીદાન આપીને આંતકવાદી કસાબને જીવતો પકડી પાડ્યો. પાનાઓ ભરી ભારી છાપામાં સમાચારો આવ્યા. પાકીસ્તાને હમેંશ મુજબ કહી દીધું કે અમારો નાગરીક નથી અથવા કસાબની સાથે પાકીસ્તાનને કોઈ લેવડ દેવડ નથી. કસાબને મારો કે જીવતો રાખો એ ભારતની સંસદ કે સંસદે બનાવેલ કાયદાથી કામ કરો. પાકીસ્તાને એમ પણ વારં વાર કહ્યું  કે ભારતની ભુમી પર એ પ્રવૃત્તી ભારતના નાગરીકો દ્વારા કરવામાં આવેલ છે.

આ અજમલ કસાબને પકડવામાં આવ્યાથી કસાબના મૃત્યુ સુધીમાં ભારતમાં ઘણાં નીર્દોસ નાગરીકોના જાન ગયા. એને જીવતો પકડી ફાંસીની સજા સુધી કાનુની કાર્યવાહીમાં ૧૦૦-૨૦૦ કરોડ સુધીનો ખર્ચ થઈ જસે. ભારતના ઘણાં નાગરીકોને એક ટક રોટલાના ટુકડા માટે વલખા મારવા પડે છે ત્યાં વીદેશી આંતકવાદી માટે રોજના ૩ થી ૮ લાખ ખર્ચ કરવો પડે છે.

ફાંસી આપતા પહેલાં હજી બખડજંતર થસે. છેવટે બાબરી મસીદનું ભુત ધુણસે.

બાબર મુઠી ભર લુંટારાઓ સાથે જ્યારે ભારતમાં આવ્યો ત્યારે એની પાસે તો કાંઈ ન હતું પણ મરતા સુધીમાં ભારતમાં મોગલ સામ્રાજયનો પાયો નખાઈ ગયો.

કુરાનમાં શું લખેલ છે એ ઔરંગઝેબને  ખબર હતી. ઔરંગઝેબે ભારતમાં જેવી રીતે રાજ્ય કર્યું એનાથી દુનીયાના હા પુરી દુનીયાના મુસલમાનોએ નક્કી કર્યું કે પોતાના બાળકનું નામ ઔરંગઝેબ રાખવું નહીં. ઔરંગઝેબની ક્રુરતાને કારણે મોગલ સામ્રાજયના અંતની શરુઆત થઈ અને સગા દીઠા સાહ આલમના સેરીએ ભીખ માંગતા એવી મોગલ સામ્રાજયના વારસદારોની હાલત થઈ.

મુઠીભર મુસલમાનો આવેલ અને ઔરંગઝેબે એમને વસ્તીનો ચોથો કે પાંચમો ભાગ બનાવી નાખ્યો.
ભારતમાં હીન્દુઓએ દલીતો ઉપર જે અત્યાચાર કરેલ છે એના કારણે સ્વતંત્ર ભારતમાં સીડ્યુઅલ કાસ્ટ સીડ્યુઅલ ટ્રાઈબ એટલે કે અનુસુચીત જાતી જમાતીની રચના થઈ અને એ પણ વસ્તીઓ ચોથો કે પાંચમો ભાગ છે.

કોંગ્રેસને ખબર પણ ન હતી કે આ ઈસ્લામના અનુયાયીઓ અને અનુસુચીત જાતી જમાતીઓ એમને ટેકો આપસે.

ભારતમાં જનસંઘ અને ભારતીય જનતા પક્ષની રચના કારણે હીન્દુઓ સંગઠીત થવા લાગ્યા. સોમનાથ મંદીરથી રથ યાત્રાઓ નીકળવા લાગી. છેવટે છટ્ઠી ડીસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરીના ઢાંચાને તોડી પાડવામાં આવ્યું. એના પછી તો રમખાણો ખુબ થયા. ઘણાંના માથા કપાયા અને સરહદની અંદર અને બહાર આંતકવાદને વેગ મળ્યો.

અજમલ કસાબ એ કોંગ્રેસ અને બીજેપીએ કરેલી રાજકીય દાવ પેચની ભેટ છે. કોંગ્રેસને ખબર છે ચુંટણીમાં વોટમાં એ જીતી જસે અને બીજેપી પાસે બાળ ઠાકરે જેવા કટર હીન્દુ વાદીઓ હસે તો પણ બહુમતી સક્ય નથી. અભેમાને લંકા નરેસના જે હાલ કરેલ એવાજ હાલ સીવસેના, બીજેપી અને કટ્ટર હીન્દુઓના અભેમાનના થાસે.

રામ રાજ્ય તો ક્યારે આવસે એ ખબર નથી પણ સોનાની લંકા જરુર નાસ થસે.

આ છે ન્યાય પ્રક્રીયા, સાક્ષ્ય આધાર, તર્કપુર્ણ ન્યાય.

Saturday 25 August 2012

નગુણા રાજકારણીઓ અને નઘરોળ સમાજ! અનુસંધાન - ખલીલ ધનતેજવી : વાંચવા મુંબઈ સમાચાર ૨૫.૦૮.૨૦૧૨માં ઉપરની લીન્કને જુઓ.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=61927
નગુણા રાજકારણીઓ અને નઘરોળ સમાજ!  અનુસંધાન - ખલીલ ધનતેજવી :  વાંચવા મુંબઈ સમાચાર ૨૫.૦૮.૨૦૧૨માં ઉપરની લીન્કને જુઓ.

છેવટે અણ્ણા હઝારે ભાગેડુ પુરવાર થયા છે. વિકલ્પ શોધવાના બહાને અનશન છોડીને ભાગ્યા. અમે તો પહેલા જ દિવસે અનશન પર ઉતરેલી અણ્ણા ટીમના તેવર જોઈને જ જાણી ગયા હતા કે અણ્ણાનું આંદોલન રાજકીય પ્રપંચ છે અને એ સૌથી પહેલાં અમે જ લખ્યું હતું ને કેટલાક અણ્ણાપ્રેમીઓની નારાજગી પણ વહોરી હતી. સૌથી પહેલાં અમે એ પણ લખ્યું હતું કે લોકપાલની રચના થાય તો પણ એના સભ્યોમાં ફરિશ્તા નહિ હોય - માણસો જ હશે એટલે લોકપાલ ભ્રષ્ટાચારનું એક નવું કેન્દ્ર બનશે! લોકપાલ તો આવ્યું નહીં પણ અણ્ણા મેદાન છોડી ગયા! અણ્ણા સામે અમને હજી પણ વાંધો છે કે અણ્ણા ટીમે અનશન જેવા ગાંધીશસ્ત્રને મજાક બનાવી દીધું. આમરણાંત ઉપવાસની વ્યાખ્યા જ બદલી નાખી! આમરણાંતનો અર્થ એ કે કાં તો મુદ્દો અને કાં તો મૃત્યુ! બેમાંથી કોઈ એકનો અંત આવે જ! એ દષ્ટિએ આમરણાંત એક જ વાર હોય.

અણ્ણા ટીમે વારંવાર આમરણાંતનો ઉલ્લેખ કરીને પ્રજાની લાગણીઓને છેહ દીધી છે! ખરેખર તો અણ્ણા ભેરવાઈ ગયા હતા અને ગળામાંથી ગાળિયું કાઢવાની તક શોધતા હતા. એ તક જાતે ઊભી કરવી પડી. રાજકીય વિકલ્પની શોધ, એ તો કેજરીવાલના કારસ્તાનમાંથી છટકી જવાનું એક બહાનું છે. કોઈ વિકલ્પ જડવાનો નથી. મારીમચડીને વિકલ્પ ઊભો કરાશે તો એમાં અણ્ણા હઝારે તો નહીં જ હોય!

પ્રસારમાધ્યમોએ શરૂઆતમાં જ અણ્ણા હઝારેને એવા માથે ચડવ્યા કે અણ્ણાને મસ્તી ચડી, અણ્ણા ત્યારથી જ પ્રચારભૂખ્યા થઇ ગયા, પરંતુ અણ્ણા આંદોલનમાં ધીમે ધીમે માનવ ભીડ ઘટવા માંડી અને અણ્ણા ધીમે ધીમે હતાશ થવા લાગ્યા!

હવે કેશુભાઈનું શું થશે? જંતરમંતર પર સમર્થકોની અછતને કારણે અણ્ણા આંતરિક રીતે પીડાતા હતા ત્યારે અહીં આપણને વરસાદની અછત પજવતી હતી. જુલાઈ મહિનાની છેલ્લી તારીખે વરસાદના બે ઝાપટાં પડી ગયાં. પણ આપણે તો હેલીના માણસ! ઝાપટાંને અમિછાંટણા કહીને સંતોષ માણવાનું આપણને ના ફાવે!

પણ એના આગલા દિવસે અભિનય સમ્રાટના હુલામણા નામે ઓળખાતા પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી વડોદરાના રંગમંચ પર મન મૂકીને વરસ્યા! વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત એકપાત્રી નાટક ‘કર્મયોગી’ દ્વારા ઉપેન્દ્ર ત્રિવેદી એકલા પોતે જ પોતાનો આખો કબીલો લઇને મંચ પર આવ્યા હોય એવી ભીડનો આભાસ એમણે એકલાએ ઊભો કર્યો ત્યારે અભિવ્યક્તિ માટે નાટક કેવું શક્તિશાળી માધ્યમ છે એની સાબિતી મળી!

ઉપેન્દ્ર ત્રિવેદી એકલા જ મંચ પર હતા છતાં મ્યુ. કોર્પોરેશનનો આખો સ્ટાફ મંચ પર હાજરાહજૂર હરતો ફરતો ને બોલતો વરતાયો હતો. સર્વોચ્ચ અધિકારીથી માંડીને ચોથા દરજ્જાના કર્મચારી સુધ્ધાંને આવરી લેતી સાત સાત ભૂમિકા એકલા ઉપેન્દ્ર ત્રિવેદીએ રજૂ કરીને કોર્પોરેશનની કાર્યસિદ્ધિની પ્રશંસાના મધમાં કર્મચારીઓની લાલિયાવાડીની કડવાશ પણ પ્રેક્ષકોને ચટાડીને એ કડવાશ ચાટીને ય બધા તાળીઓ પાડતા હતા. ખરો કસબ તો એ હતો કે સ્ટાફની નગુણાઈ કે નઘરોળપણા પર એવી સહજ સલૂકાઈથી ચાબખા માર્ય કે મેયર અને કમિશનર સહિત સમગ્ર સ્ટાફ ખડખડાટ હાસ્ય સાથે તાળીઓનો વરસાદ વરસાવતા હતા! એ માટે ઉપેન્દ્ર ત્રિવેદીને અભિનંદન આપવા ઘટે!


Friday 24 August 2012

શાળાના વીધ્યાર્થીઓના હસ્તાક્ષર સુધારવા મુંબઈ મહાનગરપાલીકાનો અક્ષર શીલ્પ પ્રોજેક્ટ. ખાસ કરીને વીધ્યાર્થીઓના ગાંધીજીના જેવા હસ્તાક્ષરને મોતીના દાણા જેવા બનાવવા માટે. મુંબઈ શુક્રવાર તારીખ ૨૪.૦૮.૨૦૧૨ના જન્મભુમીમાં સમાચાર....


શાળાના વીધ્યાર્થીઓના હસ્તાક્ષર સુધારવા મુંબઈ મહાનગરપાલીકાનો અક્ષર શીલ્પ પ્રોજેક્ટ.  ખાસ કરીને વીધ્યાર્થીઓના ગાંધીજીના જેવા હસ્તાક્ષરને મોતીના દાણા જેવા બનાવવા માટે.  મુંબઈ શુક્રવાર તારીખ ૨૪.૦૮.૨૦૧૨ના જન્મભુમીમાં સમાચાર....





Thursday 23 August 2012

કાલે ૨૪મી ઓગસ્ટ છે. ગુજરાતીમાં લખો.......વીશ્ર્વ ગુજરાતી ભાસા દીવસ.....

કાલે ૨૪મી ઓગસ્ટ છે. ગુજરાતીમાં લખો.......વીશ્ર્વ ગુજરાતી ભાસા દીવસ.....

http://aksharnaad.com/2012/08/23/gujarati-language/

Wednesday 22 August 2012

प्रमोशन में रिजर्वेशन के विरोध में प्रदर्शन



प्रमोशन में रिजर्वेशन के विरोध में प्रदर्शन

नवभारत टाइम्स | Aug 20, 2012, 01.03AM IST

जंतर मंतर।। प्रमोशन में आरक्षण के विरोध में जंतर मंतर पर समता आंदोलन समिति के प्रदर्शन में लोगों इसके खिलाफ जमकर नारेबाजी की और धरने पर बैठे। समिति के अध्यक्ष पाराशर नारायण शर्मा ने कहा कि 21 अगस्त को केंद्र सरकार ने इस पर विधेयक लाने के लिए सर्वदलीय बैठक बुलाई है और 22 अगस्त को संसद में पांचवीं बार प्रमोशन में आरक्षण पर संविधान संशोधन विधेेयक लाने की तैयारी की जा रही है। 

उन्होंने कहा कि प्रमोशन में आरक्षण असंवैधानिक है। विधेयक लाने से पहले सरकार जनता के बीच जाकर समर्थन ले। सरकार की इस मंशा को हम सफल नहीं होने देंगे और इसके लिए हम आर-पार की लड़ाई लड़ने को तैयार हैं। पाराशर ने कहा कि हमने 789 सांसदों को पत्र भेजकर इस विधेयक के विरोध में मत देने के लिए समर्थन मांगा है। 

समता आंदोलन समिति के आह्वान पर आयोजित प्रदर्शन में अखिल भारतीय समता मंच, पंजाब से जनरल कैटिगरी वेलफेयर फेडरेशन, मिशन-72, ऑल इंडिया एंटी रिजर्वेशन फ्रंट, यूथ फॉर इक्वालिटी, वर्ल्ड ब्राह्मण ऑर्गनाइजेशन, अखिल भारतीय अग्रवाल सम्मेलन, अखिल भारतीय राजपूत समाज, भारत वर्षीय जंगीर सभा एवं दिल्ली राजस्थान, छत्तीसगढ़, उत्तराखंड एवं उत्तर प्रदेश के समता आंदोलन के प्रदेश अध्यक्ष और राजस्थान के सभी जिलों व तहसीलों के अध्यक्ष व कार्यकारिणी के सदस्य शामिल हुए।


==============================


प्रमोशन में रिजर्वेशन पर ज्यादातर पार्टियां सहमत
प्रमोशन में रिजर्वेशन के मुद्दे पर सर्वदलीय बैठक
भाषा | Aug 22, 2012, 09.12AM IST

नई दिल्ली।। सरकार ने सरकारी नौकरियों में अनुसूचित जाति-जनजाति (SC-ST) को प्रमोशन में रिजर्वेशन के मामले में संविधान संशोधन बिल लाने की अपनी योजना फिलहाल टाल दी। इस मुद्दे पर मंगलवार को हुई सर्वदलीय बैठक में ज्यादातर राजनीतिक दलों ने वैधानिक रूप से टिकाऊ कानून की मांग की है।

प्रधानमंत्री मनमोहन सिंह ने इस मुद्दे पर आम सहमति बनाने के लिए सर्वदलीय बैठक बुलाई थी। प्रधानमंत्री ने बैठक के दौरान कहा कि सरकार इस बारे में संशोधन लाने की पक्षधर है और इसके सभी पक्षों का कानूनी रूप से निरीक्षण करने बाद जल्द ही एक संशोधन विधेयक लाएगी। गौरतलब है कि अनुसूचित जाति एवं अनुसूचित जनजाति और अन्य पिछड़ा वर्ग (ओबीसी) को सरकारी नौकरियों में प्रमोशन में रिजर्वेशन देने के उत्तर प्रदेश सरकार के 28 अप्रैल के फैसले को सुप्रीम कोर्ट द्वारा खारिज किए जाने के बाद इस मुद्दे पर विचार करने के लिए यह बैठक बुलाई गई थी।

बैठक में मनमोहन सिंह ने कहा, 'सरकार वर्तमान स्थिति के संभावित समाधान का रास्ता तलाश रही है।' बैठक के दौरान सिर्फ समाजवादी पार्टी ने इस प्रस्ताव का विरोध किया। मुख्य विपक्षी दल बीजेपी समेत कई दलों के नेताओं ने सुझाव दिया कि सरकार को जल्दबाजी में फैसला नहीं लेना चाहिए और सभी पक्षों पर सावधानी से विचार करने के बाद ही संवैधानिक संशोधन विधेयक लाना चाहिए।

तीन घंटे चली बैठक के बाद प्रधानमंत्री कार्यालय में राज्यमंत्री वी नारायणसामी ने कहा, 'सभी राजनैतिक दलों के विचार सुनने के बाद प्रधानमंत्री ने कहा कि सरकार और कांग्रेस अनुसूचित जाति-जनजाति को प्रमोशन में रिजर्वेशन देने के पक्षधर हैं। कुछ राज्यों के ऐसे ही प्रावधान को न्यायालयों ने खारिज कर दिया है... इस तरह के संशोधन को कानूनी रूप से टिकाऊ होना चाहिए। सरकार ऐसा संशोधन लाएगी, जो कानूनी रूप से टिकाऊ होगा। संशोधनों को जल्द ही लाया जाएगा। हम इस पर काम कर रहे हैं।' नारायणसामी ने नौ अगस्त को राज्यसभा में घोषणा की थी कि सरकार इस मामले में 22 अगस्त को एक संशोधन विधेयक लाएगी।

अपने कार्यकाल में यह फैसला करने वाली बीएसपी प्रमुख मायावती ने कहा कि उन्होंने प्रधानमंत्री से इस विधेयक को वर्तमान मॉनसून सत्र में लाने का निवेदन किया था। उधर एसपी के नेता रामगोपाल यादव ने कहा, 'ऐसा विधेयक नहीं आएगा। अगर संसद में यह विधेयक पेश हुआ तो हम इसका पुरजोर विरोध करेंगे, चाहे हम अकेले क्यों न हों।' उन्होंने कहा कि उनकी पार्टी इसका विरोध कर रही है क्योंकि इससे एक खास समुदाय के जूनियर अधिकारी छलांग लगा कर अपने साथ काम करने वालों से सीनियर बन जाएंगे।

सूत्रों ने बताया कि बीजेपी नेता सुषमा स्वाराज ने कहा है कि उनकी पार्टी इस प्रस्ताव का समर्थन करती है लेकिन इसे जल्दबाजी में न लाकर ठीक से जांच करनी चाहिए। सीपीएम नेता सीताराम येचुरी और सीपीआई नेता डी राजा ने भी इस विधेयक को जल्दी लाने का समर्थन किया।

बैठक शुरू होने पर प्रधानमंत्री ने कहा, 'सरकार वर्तमान स्थिति का संभावित हल तलाश रही है।' उन्होंने पार्टियों के नेताओं से महत्वपूर्ण सुझाव मांगे ताकि कानूनी समाधान तक पहुंचा जा सके। उन्होंने कहा कि इससे सरकार को इस मुद्दे पर निर्णय करने में काफी सहयोग मिलेगा। उन्होंने कहा, 'आप जानते होंगे कि सरकार हमेशा अनुसूचित जाति और अनुसूचित जनजाति के हितों की रक्षा को प्रतिबद्ध है और कुछ अवसरों पर संवैधानिक संशोधन में भी नहीं हिचकती है।'

मनमोहन के संबोधन के बाद वित्त मंत्री पी चिदंबरम ने इस तरह के विधेयक के पक्ष और विपक्ष दोनों में विचार रखे। सूत्रों ने बताया कि यूपीए के सहयोगी दल डीएमके और तृणमूल कांग्रेस भी विधेयक लाने की पक्षधर हैं। उधर जेडीयू नेता शरद यादव ने कहा कि इस तरह का प्रस्ताव पहले ही उनके पार्टी की सरकार वाले बिहार में लाया जा चुका है और वह इसके समर्थक हैं।

Thursday 9 August 2012

અન્ના અને એની ટીમનું સુરસુરીયું જુઓ જન્મભુમી ગુરુવાર તારીખ ૯મી ઓગસ્ટ,૨૦૧૨નું વિસ્લેસણ......

અન્ના અને એની ટીમનું સુરસુરીયું
જુઓ જન્મભુમી ગુરુવાર તારીખ ૯મી ઓગસ્ટ,૨૦૧૨નું વિસ્લેસણ......


નર્મદા ડેમ છલકાયો. મંગળવાર ૭મી ઓગસ્ટ, ૨૦૧૨ના ડેમના ઓગન ઉપર ૬.૩૮ મીટરથી પાણી જતું હતું. કરોડો અબજો લીટર પાણી દરીયામાં વહી ગયું. કચ્છના લોકો અને જનાવરોને દસ વરસ ચાલે એટલું મીઠું તળાવ કે ડેમનું પાણી ભરુચ અને અંકલેશ્વરની વચ્ચેથી દરીયામાં મળી ગયું. આ છે નરેન્દ્ર મોદીની આવડત. જાપાન કે અમેરીકા જાવા કરતાં ચીનના દુકાળીયા પ્રદેશમાં જઈ એ લોકો હીમાલયની નદીઓના પાણીને કેવી રીતે સંગ્રહી સાચવે છે એનો અભ્યાસ કરવો જોઈએ.

નર્મદા ડેમ છલકાયો. મંગળવાર ૭મી ઓગસ્ટ, ૨૦૧૨ના ડેમના ઓગન ઉપર ૬.૩૮ મીટરથી પાણી જતું હતું. કરોડો  અબજો લીટર પાણી દરીયામાં વહી ગયું. કચ્છના લોકો અને જનાવરોને દસ વરસ ચાલે એટલું મીઠું તળાવ  કે ડેમનું પાણી ભરુચ અને અંકલેશ્વરની વચ્ચેથી દરીયામાં મળી ગયું. આ છે નરેન્દ્ર મોદીની આવડત. જાપાન કે અમેરીકા જાવા કરતાં ચીનના દુકાળીયા પ્રદેશમાં જઈ એ લોકો હીમાલયની નદીઓના પાણીને કેવી રીતે સંગ્રહી સાચવે છે એનો અભ્યાસ કરવો જોઈએ.